કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવાને લીધે દેશવ્યાપી લોકડાઉન હવે 3 મે 2020 સુધી લંબાવી દેવામા આવ્યું છે. વડાપ્રધાને આજે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાના રાખતા હવે દેશમાં 3 મે સુધી લોકડાઉન હશે, આ દરમિયાન લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.
પોતાના ભાષણમાં પીમ મોદીએ દેશવાસીઓ પાસે કોરોના વાયરસ સામેની લડાઇમાં વિજય મેળવવા સપ્તપદીના સાત વાચનો માંગ્યા છે.
કોરોના સામેની લડાઇમાં જીત મેળવવા મોદીએ માંગ્યા સપ્તપદીના સાત વચનો
- પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની એક્સ્ટ્રા કેર કરવી
- લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે
- રોગપ્રતિકારક શક્તિ વધારવી
- કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો Download From Play store
- શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી
- વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા
- કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવું
વડાપ્રધાને આ વખતે ગત 21 દિવસના લોકડાઉન કરતા પણ વધુ કડક રીતે તેનુ પાલન કરાશે તેવી પણ પીએમ મોદીએ જાહેરાત કરી હતી. તો સાથે જ .અને આગામી 20 એપ્રીલ સુધી દરેક રાજ્ય, જિલ્લા સહિતના સ્થળો પર લોકડાઉનનું ઝીણવટપૂર્વક પાલન કરવામાં આવશે અને જે ક્ષેત્રમાં હોટસ્પોટ નહી બનવા દેવાયા કે હોટસ્પોટ બનવાની શક્યતા ઓછી હશે ત્યાં 20 એપ્રિલ બાદ સશર્ત કેટલીક છૂટ આપવામાં આવી શકે છે.
તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે
Important :
- Stay connected with www.GovtBharti.info for latest updates.
- Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.